નટુકાકા ઉર્ફે ઘનશ્યામ નાયક જેઓ વડનગર પાસેના ઊંઢાઈ ગામના વતની છે વારસાઈ રંગભુમિના ગુણો હોવાથી બાળપણથી જ અત્યાર સુધી ૧૦૦ જેટલા નાટકો, ૨૫૦ જેટલા પિક્ચરોમાં કામ કર્યું છે જેમાં અશોકકુમારથી માંડી ઐશ્વર્યા રાય સુધીના કલાકારો સાથે કામ કર્યું છે તેમજ દિલ દે ચુકે સનમ પિક્ચરમાં તેમનો સંવાદ ‘તોડી નાખું, મારી નાખું ભાગી નાખું ભુક્કો કરી નાખું’ જે ખુબ જ પ્રખ્યાત થયો હતો જેમણે રમેશ મહેતાની હસ્તમેળાપ ગુજરાતી પિક્ચરમાં પ્રથમ વખત કામ કર્યું હતું.
પ્રખ્યાત નાટકોમાં સંપત્તિ માટે, વડીલોના વાંકે, સંતાનોના વાંકે, જટ જાઉં ચંદન હાર લાઉં વગેરે નાટકોમાં ભાગ લીધો હતો અને તે પ્રખ્યાત થયા હતા. છેલ્લે હાલમાં દુનિયાના ઉંધા ચશ્મા સિરીયલનું શુટીંગ મુંબઈમાં ચાલુ છે.
‘મારો શેઠ મારો પગાર નહિ વધારે પણ હું પગાર વધારો માગતો રહીશ તમે જોતા નથી મોંઘવારી કેટલી વધી ગઈ છે?’ શેઠ મેરા પગાર કબ બઢાઓગે તેવો પ્રશ્ન સતત પૂછીને વિખ્યાત હાસ્ય કલાકાર તારક મહેતાની ઉંધા ચશ્મા સિરીયલ દ્વારા હાસ્યનું વાવાઝોડું ફુંકનાર નટુકાકા ઉર્ફે ઘનશ્યામ નાયક રંગલો આજની સળગતી સમસ્યા મોંઘવારી જનતાના પ્રશ્ને વાચા આપવાનો પ્રયત્ન કર્યો છે.
રંગભુમિના જુના કલાકાર ઘનશ્યામ નાયક (નટુકાકા)ને દુનિયાના ઊંધા ચશ્મા સિરીયલ વિશે પુછતાં મુલાકાત લેતાં તેઓએ જણાવ્યું હતું કે આ સિરીયલ કૌટુંબિક છે સમાજને સાચી દિશા બતાવે છે વાસ્તવિકતા દર્શાવે છે સહ પરિવાર સાથે બેસીને જોઈ શકાય તેવી આ સિરીયલ છે. આ સિરીયલમાં જાયરેક્ટરથી માંડી હિરો-હિરોઈન બધા જ ગુજરાતી છે જો કોઈ લેખકના નામ પર કોઈ સિરીયલ ચાલી હોય તો તે આ સિરીયલ છે.
રંગભુમિ અને સિરીયલમાં કોઈ ફરક છે તેમાં જણાવ્યું હતું કે રંગભુમિથી માણસ ઘડાય છે અને રંગભુમિ ક્યારેય મરવાની નથી પરંતુ સમય આવે તેનો પ્રકાર બદલાય છે ભારતની કલા જેવી કોઈ કલા નથી ટીવી સિરીયલોમાં વાસ્તવિકતા બતાવવી જોઈએ તે બતાવતા નથી ટીવીમાં લગ્ન ધામધુમથી ઉજવાય છે જેની અસર સમાજ ઉપર પડે છે. જુના સમયમાં સિરીયલોમાં કથા વસ્તુ એવી હતી કે લોકો સિરીયલ જોઈ રડી પડતાં તેવું આજની સિરીયલોમાં જોવા મળતું નથી તે દુઃખદ બાબત છે.