નાગરવેલીઓ રોપાવ

11 જુલાઈ

આજે ગુજરાતી રંગમંચને પોતાનાં રસમાં તરબોળ કરનારા રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટની પુણ્યતીથી છે. ‘વન્સમોર’, ‘વન્સ મોર’… તાળીયોના ગડગડાટ અને સીટીની ચીચીયારીઓ વચ્ચે પડી ગયેલો પડદો ફરીથી ઉચકાય. ગીતની સુરાવલી ફરીથી ગુંજી ઉઠે. એક વાર… અનેક વાર… ગુજરાતી રંગમંચના રસિયાઓને આ ઘટનાનું સ્મરણ જરૂર જ હશે. રંગભૂમી પર આ વન્સમોરની શૃંખલા રચનાર રસકવિ એટલે રઘુનાથ બ્રહ્મભટ્ટ

રસિકાના અધરને લાલચટક કેસૂડા જેવી રંગાવલીથી શોભાવતા નાગરવેલના પાન, પ્રણયફાગના એ પ્રતિકને રસકવિ બિરદાવે છે મુગ્ધમનના સપનાનું નિરૂપણ કરતી આ રચનાથી.
નાટક  – સમુદ્રગુપ્ત
કવિ – રઘુનાથ બ્રહ્મભટ્ટ
નાગરવેલીઓ રોપાવ, તારા રાજ મહેલોમાં,
રૂડાં માંડવડાં બંધાવ, તારા રાજ મહેલોમાં
આંબલિયાની ડાળે, રૂડા સરોવરની પાળે,
રાજા હીંચકે હીંચાવ, તારા રાજ મહેલોમાં.
ઠંડી હવા જો લાગે, અમને અંગ પીડાઓ જાગે
રૂડા વૈદડાં વસાવ, તારા રાજ મહેલોમાં
કોયલડી જ્યાં બોલે, કૂંણાં કાળજડાં કંઇ ડોલે,
રાજા બંસરી બજાવ, તારા રાજ મહેલોમાં

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ http://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in Uncategorized. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s